AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોઈ પણ ઘટનાના એક કરતાં વધારે પાસાં હોય એમાં નવી વાત નથી. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આવું જ એક પાસું છે, જેની ગંભીરતા પર ખૂબ ઓછા લોકોનું ધ્યાન ગયું હશે. 10 લોકોના પરિવારોએ પોતાના વહાલસોયા ગુમાવ્યા. અકસ્માત કરનાર તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. કેસની તપાસ કરીને પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી. હવે કોર્ટમાં કેસ ચાલશે. પરંતુ આ બધી ચર્ચાસ્પદ બાબતોથી અલગ દિવ્ય ભાસ્કરની આજની સન્ડે બિગ સ્ટોરી જે મુદ્દા પર છે, તેને અમદાવાદ જેવા મોટાં શહેરોમાં કારકિર્દી બનાવવાના ઇરાદે આવતાં યુવક-યુવતીઓ અને તેમનાં માતા-પિતાએ જાણવી અને સમજવી ખૂબ જરૂરી છે.   ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલ સાથે કારમાં જે બે યુવતી હતી તે મકરબા વિસ્તારમાં પીજીમાં રહેતી હતી. આ ઉપરાંત જે યુવકો કારની અડફેટે આવી મૃત્યુ પામ્યા તેમાંના મોટાભાગના અમદાવાદના એસજી હાઈવેની આસપાસના પીજીમાં રહેતા હતા. એટલા માટે જ આજકાલ અમદાવાદમાં પીજી ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પીજીમાં રહેતા અને ઇસ્કોન અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોનાં પરિવારજનો સાથે વાત કરી હતી. આ ઉપરાંત હાલ અમદાવાદના વિવિધ પીજીમાં રહેતાં યુવક-યુવતીઓ તેમજ પીજી સંચાલકો સાથે મુલાકાત કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે અમદાવાદમાં ભણવા કે નોકરી માટે આવતાં મોટાભાગનાં યુવક-યુવતીઓ પીજીમાં રહેવાનું કેમ પસંદ કરે છે? તેની પાછળનાં કારણો શું છે? આવા પીજીની હાલત કેવી હોય છે? પીજીમાં રહેતાં યુવક-યુવતીઓ પર કેવા પ્રકારના અંકુશ હોય છે? અને કઈ હદે છૂટ આપવામાં આવે છે? આ વિશેષ અહેવાલમાં એ પણ જાણો કે દિવ્ય ભાસ્કરે તપાસ દરમિયાન યુવકો અને યુવતીઓ માટેનાં અલગ-અલગ પીજીમાં શું તફાવત જોયો?   ...Cont

Amdavad News

Amdavad Radios