AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

મુંબઈની લીલાવતી હોસ્પિટલના પ્રમોટર મહેતા પરિવાર દ્વારા સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે અદ્યતન સુવિધાથી સજ્જ ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ’ શરૂ કરાયો છે. એટલું જ નહિ, આગામી 15 મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં રૂ. 300 કરોડના ખર્ચે એર એમ્બ્યુલન્સ સહિત આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ શરૂ કરશે.   લીલાવતી હોસ્પિટલના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત મહેતાએ જણાવ્યું કે મારા પિતા કિશોર મહેતા અને માતા ચારુબેન મહેતાએ 1997માં મુંબઈમાં સુપર સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલની સ્થાપના કરી હતી. દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે ઉચ્ચ સ્તરની ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાના માતા-પિતાના લક્ષ્યને હું આગળ ધપાવી રહ્યો છું, જેના ભાગ રૂપે સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેકને પોષાય તેવા દરે દવા ઉપલબ્ધ કરાવવા ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ ’ શરૂ કર્યો છે. તેમ જ આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં વધુ 9 સ્ટોર્સ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં 30 મળીને કુલ 40 ફાર્મસી સ્ટોર્સ સાથે દેશમાં 500 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરીને ‘લીલાવતી ફાર્મસી ચેઇન કમ્યુનિટી મેમ્બર્સ માટે વેલનેસ પ્રોગ્રામ’ ઓફર કરનારી ભારતની એક માત્ર સર્વિસ બેઝ ફાર્મસી ચેઇન બનશે. એટલું જ નહિ, ડોક્ટર્સના રેફરન્સને આધારે જરૂરિયાતમંદ-ગરીબ દર્દીઓને ફાર્મસી સ્ટોર્સમાં નિ:શુલ્ક દવા અને હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપીશું.

Amdavad News

Amdavad Radios