પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આજે પણ માત્ર 1 રૂપિયામાં જ કોરોના દર્દીની સારવાર થાય છે. 48 વર્ષ પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા શરુ કરાયેલ આ દવાખાનું મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.જો તમને કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તમે માત્ર એક રૂપિયામાં પણ સાજા થઈ શકો છો. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું માત્ર 25 પૈસાનું દવાખાનુંં સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે. વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર ત્રણ રૂપિયા જ ચૂકવવા પડે છે.હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. વર્ષોથી અહીં સારવાર લેનાર લોકો આ દવાખાનાને ઈશ્વરના એક વરદાનરૂપ જ માની રહ્યા છે.
Gujarat News
17 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…