દેવગઢ બારિયામાં જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું એકમાત્ર તીરંદાજી રમતનું રાષ્ટ્રીય સ્તરનું સેન્ટર છે. અહીથી આદિવાસી રમતવીરોની તીરકામઠાની રમત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંગરી છે, એના દ્રોણાચાર્ય છે પ્રતાપસિંહ પસાયા. આ એ જ ધનુર્ધર ગુરુ છે જેમણે આર્ચરી રમતમાં 210 મેડલ વિજેતા ખેલાડીઓ આપીને દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના હાથે પ્રશિક્ષણ મેળવેલ 220 રમતવીરો આજે સરકારી નોકરી કરે છે. આદિવાસી પટ્ટામાં પ્રતાપસિંહ પસાયા સાચે જ ગુરુ દ્રોણ તરીકે જાણીતા થયા છે. રાજવી સમયથી જયદિપસિંહ રમત પ્રશિક્ષણ કેન્દ્રની બોલબાલા રહી છે. રમતગમતનું મક્કા કહેવાતા દેવગઢબારિયા પંથકમાંથી અનેક રામતવીરોએ પોતાનું કાઠું કાઢ્યું છે. એમાંય આદિવાસી વિસ્તારના પ્રખ્યાત એવા તીરકામઠાના કૌશલને મેદાન પર ફતેહ કરી બતાવ્યું છે. આર્ચરી કોચ પ્રતાપસિંહ પસાયાએ એમની કારકિર્દીની શરુઆત અહીથી થઈ છે. અત્યારસુધીમાં તેમના માર્ગદર્શનમાં 530 તીરંદાજો મેદાને પડ્યા છે. તે પૈકી 210 મેડલ વિનર બન્યા છે.
Gujarat News
17 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…