આણંદ-ખેડા જિલ્લામાં રીંગણ અને ભડારીંગણની ખેતી તરફ ખેડૂતો છેલ્લાં એક દાયકાથી વળ્યા છે. ભડારીંગણનો ઉતારો વધુ હોવાથી ખેડૂતોને સારો નફો મળે છે. છેલ્લા કેટલાંક વર્ષથી રીંગણનું ઉત્પાદન વધી જતાં બજારમાં જરૂરીયાત કરતાં વધુ માલ આવતો હતો. તેના કારણે ચાલુ વર્ષે રીંગણની ખેતી છોડીને ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા હતા. જયારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં રીંગણની ખેતી સારી થઈ હતી. પરંતુ ડિસેમ્બરમાં થયેલા ચારેક વખતના માવઠાના પગલે પાકને ભારે અસર થઈ હતી. તેના કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. આણંદ-નડીઆદના હોલસેલના શાકમાર્કેટમાં અગાઉ દૈનિક ચાર ટન માલ આવતો હતો. તેની સામે ચાલુ વર્ષે માંડ દોઢ ટન માલ આવી રહ્યો છે. તેના કારણે રીંગણના ભાવ ઐતિહાસિક સપાટી વટાવીને 600 રૂપિયે મણ સાદા રીંગણ વેચાઈ રહ્યાં છે. ભડારીંગણ રૂપિયા 450ના ભાવે હોલસેલ માર્કેટમાં વેચાઇ રહ્યાં છે. આમ, ઘણા વર્ષો બાદ રીંગણના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.
Gujarat News
17 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…