સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનની વાત આવે ત્યારે બે મંદિરનાં નામ લેવાતાં- સોમનાથ અને દ્વારકા. હવે મોટાં મંદિરોમાં ત્રીજા ધામનું પણ નામ લેવાય છે. સૌરાષ્ટ્રનું આ ત્રીજું મોટું તીર્થક્ષેત્ર છેલ્લાં પાંચ વર્ષમાં ઊભર્યું છે. આ તીર્થધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર જલારામ બાપાના ગામ વીરપુરથી માત્ર 11 કિલોમીટર દૂર કાગવડ ગામ પાસે છે. એ છે ખોડલધામ. અહીં બિરાજમાન છે મા ખોડલ. આ ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. આવતીકાલે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે.ખોડલધામ મંદિરનું નિર્માણ મંદિરના વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું. મંદિરના આંગણે ભવ્ય ઉત્સવો પણ ઊજવાયા. લેઉવા પટેલ સમાજની એકતાની શક્તિને કારણે બે ગિનેસ બુક, એશિયા બુક, ઈન્ડિયા બુક સહિતના 10 રેકોર્ડ નોંધાયા. ખોડલધામ મંદિરનું નિર્માણકામ પણ ઈતિહાસમાં કંડારાઈ ગયું. સમસ્ત લેઉવા પટેલ સમાજે તન, મન, ધનથી મા ખોડલનાં ચરણોમાં સેવા અર્પણ કરી. આ નિર્માણકામનો ચિતાર દિવ્ય ભાસ્કર ડિજિટલના વાચકો માટે 21 તારીખને ધ્યાનમાં લઈ 21 સ્લાઈડમાં આપવામાં આવ્યો છે.
Gujarat News
20 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…