RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થયા બાદ ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અનલોક બાદ સરકાર દ્વારા ધીમે ધીમે ધંધા-રોજગર છૂટ આપી અને બજારો ખોલી દેવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હજુ પણ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે. આ માટે રાજકોટની મુખ્ય ત્રણ બજાર જ્યુબેલીબાગ, પરાબજાર અને ધર્મેન્દ્ર રોડ પર જઇ Divya Bhaskar દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, 50 ટકાથી વધારે વેપારીઓ પ્રોપર માસ્ક પહેરેલા જોવા મળ્યા નહોતો. ઉપરાંત બજારમાં અંદર ખરીદી માટે આવેલા લોકો પૈકી 15% લોકો પ્રોપર માસ્ક ન પહેર્યું હોવાનું જોવા મળ્યું હતું. આજે રાજકોટ Divya Bhaskarની ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં જઇ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને તેમાં લોકો સ્વયંભૂ કોરોનાની બીજી ઘાતક લહેરને ભૂલી ત્રીજી લહેરને સ્પષ્ટ આમંત્રણ આપતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની મુખ્ય ત્રણ આ બજારોમાં રોજ-બરોજ 10થી 15 હજાર જેટલા લોકોની અવર-જવર રહેતી હોય છે.

Rajkot News

Rajkot Radios