RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરોનાની બીજી લહેર બાદ વેક્સિન લેવા માટેની જાગૃતિ વધી છે અને બીજી તરફ સરકાર પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો આપતી નથી. જેના કારણે અનેક વેક્સિનેશન સેન્ટર પણ વહેલી સવારથી જ લાઇનો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 73 ટકા વ્યક્તિઓનું વેક્સિનેશન થયું છે અને 22 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે. રવિવારે રજાના દિવસે પણ 7698 નાગરિકોએ કોરોના વેક્સિન લીધી છે. હાલ મનપા પાસે 10 હજાર ડોઝનો સ્ટોક છે. રાજકોટમાં રવિવારે સાંજ સુધીમાં 18થી 44 વર્ષના 3112 વ્યક્તિઓ તેમજ 45થી મોટી ઉંમરના 4586 એમ કુલ 7698 નાગરિકોએ કોરોનાની રસી લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર 80 સાઇટ પર વેક્સિનેશન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રો પર લોકો જઇ રહ્યા છે, પરંતુ કોરોના વેક્સિનના ડોઝ પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી નગરજનોને ધક્કા થઇ રહ્યા છે. અનેક લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે પરંતુ પૂરતો સ્ટોક ન હોવાથી વેક્સિન લઇ શકતા નથી.

Rajkot News

Rajkot Radios