RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજે શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. રાજકોટમાં સતત બીજા વર્ષે પણ સાતમ-આઠમનો મેળો નહિ યોજાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જોકે, અધિક કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા રાજકોટમાં સાતમ-આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી. તેમજ હજુ સુધી લોકમેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આવતીકાલે બુધવારે ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

Rajkot News

Rajkot Radios