VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારની રાત્રે હિંદુ જાગરણ મંચના કાર્યકરો અને સિંધિયાપુરાના ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મળેલ બાતમીના આધારે ગૌરક્ષકો ગાયો અને મૂંગા પશુધનને કતલખાને લઇ જતી આઇસર ગાડીને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિંધિયાપુરા ગામમાં આ હિંદુ જાગરણ મંચના કાર્યકરો પર સ્થાનિક લોકોએ લાકડીઓ ધારીયા જેવા મારક હથિયારો અને પથ્થરમારા સાથે હુમલો કરતાં પાંચ જેટલા ગૌરક્ષકોને ઇજા થઇ હતી. તેઓને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને લઇ સમગ્ર સિંધિયાપુરા ગામ પોલીસ છાવણીમાં બદલાઇ ગયું હતું.

Vadodara News

Vadodara Radios