RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

હિન્દુ મહિનામાં આવતા શ્રાવણ માસમાં શિવ આરાધનાનો અને પૂજનઅર્ચન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. શિવભક્તો ભગવાન ભોળાનાથની તન-મન-ધનથી પૂજા કરી શિવલિંગ ઉપર જલાભિષેક, પુષ્પો અર્પણ કરીને ધન્યતા અનુભવે છે. ભોળાનાથ ભક્તોને કદી નિરાશ કરતા નથી. ગુજરાતમાં અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મંદિરો આવેલા છે. આવું જ એક અતિપ્રાચિન મંદિર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવના નામથી ઓળખાતું મંદિર આવેલું છે. આ પૌરાણિક અને સ્વયંભૂ આઠ ફૂટની ઊંચાઈવાળું શિવલિંગ ધરાવતું મંદિર વર્ષોથી ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં એક એવી લોકવાયકા પણ છે કે આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે. તો આવો જાણીએ પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ...   ગોધરાથી 30 કિ.મીના અંતરે આવેલું આ પ્રસિધ્ધ મંદિરપવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો પણ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનો અનોખો મહિમા છે. આ મંદિર જિલ્લાના વડામથક ગોધરાથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. વધુમાં આ મંદિર હાલોલ શામળાજી માર્ગ હાઈવેને અડીને આવેલું હોવાથી અહીં જતા-આવતા લોકો દર્શન કરવાનું ચૂકતા નથી. આ મરડેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા તેનું આઠ ફૂટની ઊંચાઈ ધરાવતું શિવલિંગ છે. આ શિવલિંગ સ્વયંભૂ છે તેની પાછળ અનેક દંતકથાઓ જોડાયેલી છે.

Rajkot News

Rajkot Radios