VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેર સંસ્કારી અને કલાનગરી છે ત્યારે કોઈપણ વ્યક્તિ કલાના માધ્યમથી અવનવી ચીજવસ્તુઓ બનાવતી હોય છે. હાલમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે શહેરમાં આ ઉત્સવની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. શહેરના દાંડિયાબજાર પિરામીતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળના આયોજકો દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી બનાવેલી એક લાખથી વધુ અગરબત્તીનો ઉપયોગ કરી શ્રીજીની 8 ફૂટની મનમોહક મૂર્તિનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. અગરબત્તીમાંથી ડેકોરેટ થયેલી આ ગણેશજીની મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.   રાત-દિવસ મહેનત કરીપ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અહીં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આ મંડળમાં 20 જેટલા સભ્યો છે, જેમાં કેટલાક નોકરી કરે છે તો કેટલાક અભ્યાસ કરે છે. ગણેશજીની મૂર્તિના શણગાર માટે ગાયના છાણમાંથી વિશેષ ચોરસ આકારમાં બનાવવામાં આવેલી અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અલગ અલગ થીમ આધારિત ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષે આ મંડળે મુંબઈના પ્રસિદ્ધ દગડુ શેઠ હલવાઈવાલા ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. .....Cont

Vadodara News

Vadodara Radios