VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરના એક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે તે વિસ્તારમાં પાણીપુરીના રસિયાઓ પાણીપુરીનો આનંદ માણી નહીં શકે. આદેશ ન મળે ત્યાં સુધી પાણીપુરીની લારીવાળા તેમની લારી ફરી શરુ નહીં કરી શકે.કારણકે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. વાત કઇક એવી છે કે છેલ્લા થોડા દિવસથી વડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને ગામનું પંચાયત તંત્ર એક્શનમાં આવી ગયું છે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી રોગચાળો કાબુમાં ન આવે ત્યાં સુધી લારીઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે. .....Cont

Vadodara News

Vadodara Radios