RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કાર્બન ડાયોક્સાઇડના વધી રહેલા પ્રભાવને કારણે વાતાવરણના પ્રદૂષણયુક્ત બન્યું છે. આજે વિશ્વ જ્યારે ‘ગ્લોબલ વોર્મિંગ’ની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે જીવસૃષ્ટિને બચાવવા માટે વાતાવરણમાં છોડાઈ રહેલા ‘ઝેરી વાયુને રોકી વાતાવરણના પ્રદૂષણને ઘટાડવું એ જ સમયની માગ છે. આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈને રાજકોટમાં કાર્યરત સદભાવના વૃદ્ધા આશ્રમના સંચાલક અને માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય ડોબરિયાએ હરિયાળી ક્રાંતિ ફેલાવવા 7 વર્ષમાં 5 લાખથી વધુ વૃક્ષો શેરી અને ગલીઓમાં વાવ્યાં છે. વૃક્ષનું જતન અને સંવર્ધન કરવા માટે 480 લોકોના પગારદાર સ્ટાફની નિમણૂક કરી છે. આ ઉપરાંત વૃક્ષને પાણી પૂરું પાડવા 70 ટેન્કર અને 70 ટ્રેક્ટર પણ વસાવ્યાં છે.

Rajkot News

Rajkot Radios