SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

હાલમાં કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરના લાખો લોકો સામે પૂરતી આવકનો વિકટ પ્રશ્ન છે ત્યારે આવા કપરા કાળમાં પણ ઘણા લોકો પોતાની મુશ્કેલીઓ ભૂલીને અન્ય જરૂરિયાતમંદોની ચિંતા કરી રહ્યા છે. શહેરના વરાછા રચના સર્કલ પ્રભુ નગર સોસાયટી ખાતે રહેતા રિક્ષાચાલક વીરભદ્રસિંહ ઝાલાએ આ જ દિશામાં આગળ વધવાનું બીડું ઝડપ્યું છે. વીરભદ્રસિંહે પોતાની રિક્ષા પાછળ બોર્ડ મારી લખ્યું છે કે, ‘દવાખાને જવા માટે અથવા અંધ કે અપંગ વ્યક્તિ પાસેથી ભાડું લેવામાં આવશે નહીં’. પ્રથમ દૃષ્ટિએ સામાન્ય લાગતું આ વાક્ય રિક્ષા ચલાવીને પેટિયું રળતી વ્યક્તિની ઉદાર ભાવનાનું અસામાન્ય પ્રતિક છે. શહેરમાં ઘણા રિક્ષાચાલકોએ પ્રેરણા મેળવીને આવી સેવા શરૂ કરી છે.

Surat News

Surat Radios