SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

અમદાવાદથી મુંબઈ સુધી 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે. બુલેટ ટ્રેનના અમદાવાદ સહિત સંપૂર્ણ રૂટ પર ટ્રેકની બન્ને બાજુએ આવતા અડચણરૂપ બાંધકામોને દૂર કરવા માટે સરવે હાથ ધરાયો હતો. સાબરમતીથી વટવા સુધી રૂટની બન્ને બાજુના 350 બાંધકામ દૂર કરાશે. જ્યારે વડોદરા સુધીના રૂટ પર લગભગ 1550 નાના મોટા બાંધકામ, ધાર્મિક સ્થળ કે અન્ય બાંધકામો દૂર કરાશે. બુલેટ ટ્રેનના આ રૂટમાં દૂર કરવામાં આવનારા આ બાંધકામોમાં સાબરમતીથી વટવા સુધી 15 મળી વડોદરા સુધીના રૂટ પર 40 ધાર્મિક સ્થળો અડચણરૂપ હોવાથી દૂર કરાશે. બાંધકામો દૂર કરવા માટે એનએચએસઆરસીએલે બાંધકામ માલિકને સરકારી નિયમ મુજબ પૂરેપૂરું વળતર ચૂકવાશે અથવા માલિક કે ટ્રસ્ટની સ્વીકૃતિ બાદ તેનું અન્યત્ર પુન:સ્થાપન કરી અપાશે. જમીન સંપાદનની કામગીરી 80 ટકાથી વધુ પૂર્ણ થતા રૂટ પર હવે સિવિલ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

Surat News

Surat Radios