letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:51 AM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજકોટ નજીકના સરધાર ગામમાં 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. જ્યાં નિત્યસ્વરૂપ સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 10થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવ 250 એકર જગ્યામાં યોજાશે. જેમાં ગુજરાતનો અત્યાર સુધીનો મોટામાં મોટે ડોમ 500 ફૂટ પહોળો અને 750 ફૂટ લંબાઈનો હશે. આ મહામહોત્સવમાં 70 હજાર લોકોને ઉતારો આપી શકાય તે રીતે ડોમ અને રહેણાંકની વ્યવસ્થા કરાઈ છે.ઉતારામાં ઉતરેલા 70 હજાર હરીભક્તો માટે સવારે નાહવામાં ગરમ પાણી માટે 25 બોઈલર, 2 હજાર બાથરૂમ અને 2 હજાર ટોઈલેટની વ્યવસ્થા કરાઈ છે. 7 દિવસના કાર્યક્રમમાં સત્સંગી ગ્રથનું પારાયણ, સાઉન્ડ લાઈટ શો, 1008 કુંડીયજ્ઞ યોજાશે. મહોત્સવની આયોજન કમિટી સાથે જોડાયેલા બાબુ વાઘાણીએ કહ્યું, સુરતના 2 હજારથી વધુ દાતાએ દાનનો ધોધ વહેડાવ્યો છે. સુરતથી 2.40 કરોડના 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે.

Surat News

Surat Radios