SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સમગ્ર દુનિયામાં હાલ કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. દરરોજના લાખોની સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં મોટાભાગના લોકો ઝપેટમાં આવી જશે, બીજી લહેરની ભયાનકતા જોયા બાદ લોકોમાં ખુબ જ ડર જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રીજી લહેર કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનથી હાહાકાર મચી જવા પામ્યો છે. પરંતુ જામનગરમાં આવેલી રાષ્ટ્રીય સંસ્થાન ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ અનુપ ઠાકરે જણાવ્યું કે ઓમિક્રોનથી બચવા માટે અમે લોકોને ગુરુજી કન્વટીનું વિતરણ કરી રહ્યાં છીએ. આ એક મહિનાનો ડોઝ આપી રહ્યાં છીએ. આ ડોઝથી લોકોમાં ઇમ્યુનિટી બની રહે છે. જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અનુપ ઠાકરે જણાવ્યું કે ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે, તેની સામે આયુર્વેદિક સંસ્થાન દ્વારા વધુમાં વધુ મદદ મળી રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. જામનગર કોર્પોરેશન સાથે મળીને ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ગુરુજી કન્વટી એટલે કે સત્સમવટીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ એક મહિનાનો ડોઝ હોય છે જેની મદદથી લોકોમાં ઇમ્યુનિટી બની રહે છે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે 100 બેડની હોસ્પિટલ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પોસ્ટ કોવિડ કેરની સ્ટ્રીટમેન્ટ ચાલુ છે.

Surat News

Surat Radios